Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાએ આપઘાત કર્યો

  • September 20, 2022 

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી પૌલિન જેસિકા ઉર્ફે દીપાનું તારીખ 18 સપ્ટેમ્બરનાં રોજ  ચેન્નાઈમાં પોતાના ઘરે મૃતદેહ મળી આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. સાઉથ ફિલ્મ 'વૈધા'ની અભિનેત્રી પૌલિનનો મૃતદેહ પોતાના જ એપાર્ટમેન્ટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. એવી આશંકા છે કે, પૌલીને તેના અંગત જીવનમાં મુશ્કેલીનાં કારણે આત્મહત્યા કરી છે.




આ ઘટનાને લઇને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. કોયમ્બેડુ પોલીસને જેસિકાનાં પાડોશીઓએ તેના મૃત્યુ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કિલપૌક સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જે બાદ અભિનેત્રીના સંબંધીઓને જાણ કરવામાં આવી હતી અને તેના મૃતદેહને આંધ્રપ્રદેશ મોકલવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું, "અમે લોકપ્રિય અભિનેત્રી પૌલિન જેસિકાની કથિત આત્મહત્યાની દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ અને  CCTVની મદદ લઈ રહ્યા છીએ."




જોકે પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, પૌલિનનાં ઘરે કોણ આવ્યું હતું. આત્મહત્યાનાં દિવસ પહેલા તે ઓટોમાં તેના એપાર્ટમેન્ટમાં પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ આત્મહત્યાનો મામલો છે કે, પછી કોઈએ તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક સુસાઈડ નોટ મળી છે જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે તેના મૃત્યુ પાછળ એક નિષ્ફળ સંબંધ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application