Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડિંડોલીમાં એફવાયબીએની વિદ્યાર્થીનીનો ફાંસોખાઈ આપઘાત

  • November 20, 2021 

ડિંડોલીમાં રહેતી અને માતાને ઘર ચલાવવામાં મદદરૂપ બનતી એફવાયબીએની વિદ્યાર્થીનીએ ઘરમાં ફાંસોખાઈ આપઘાત કરી લેતા ભારે ચકાચર મચી છે. એક વર્ષ પહેલા પિતના નિધન થયા બાદ ગુરુવારે દીકરીનું પણ મોત થતા માતા શોકમાં ગરકાવ થઈ ગઈ છે.


મળતી વિગત મુજબ ડિંડોલીમાં રહેતા રાજેન્દ્ર પાટીલનું એક વર્ષ પહેલા નિધન થયા બાદ તેની પત્ની સાડી પર ટીકીઓ લગાવી પરિવારમાં એક દીકરીનું ગુજરાન ચલાવે છે. દીકરી અશ્વિની એફવાયબીએમાં અભ્યાસ કરવાની સાથે માતાને કામમાં મદદરૂપ થઈ હતી. દરમ્યાન ગુરુવારે અશ્વિનીએ ઘરમાં એકાએક ફાંસોખાઈ આપઘાત કરી લીધો હતો. પતિના મોત બાદ દીકરીના મોતને પગલે માતા શોકમાં ગરકાવ થઈ ગઈ છે. અશ્વિનીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણી શકાયુ નથી. બનાવ અંગે પોલીસને જાણ થતા સ્થળ પર પહોચી ગઈ હતી અને અશ્વિનીની લાશને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application