Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મણિપુરનાં જિરિબાન જિલ્લામાં ઉગ્રવાદીઓએ બે પોલીસ આઉટપોસ્ટ અને અનેક મકાનોને આગ લગાવી

  • June 09, 2024 

એક વર્ષ સુધી હિંસાનો ભોગ બનેલા મણિપુરમાં ફરી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. મણિપુરના જિરિબાન જિલ્લામાં ઉગ્રવાદીઓએ બે પોલીસ આઉટપોસ્ટ અને અનેક મકાનોને આગ લગાવી દીધી હતી. મોડી રાત્રે આ ઘટના બની હતી. મૈતેઇ સમાજના એક વૃદ્ધનો મૃતદેહ મળ્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી. જિરિબાન જિલ્લાના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાત્રે અંધારાનો લાભ લઇને આ હુમલો કરવામાં આવ્યો હતો. જિરિ પોલીસ આઉટપોસ્ટ ચોટોબેકરા વિસ્તારમાં આવેલી છે. હુમલાખોર ઉગ્રવાદીઓ પહાડી વિસ્તારના માનવામાં આવી રહ્યા છે.


ઇમ્ફાલથી 220 કિમી દૂર આવેલા લામ્તાઇ વિસ્તારમાં અનેક મકાનોને આગ લગાવીને ઉગ્રવાદીઓ ભાગી ગયા હતા. એવા અહેવાલો છે કે, આશરે 70થી વધુ મકાનોને આગ લગાવવામાં આવી છે. જોકે સત્તાવાર રીતે આ અંગે કોઇ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે, ઉગ્રવાદીઓ સામે ઓપરેશન માટે મણિપુર પોલીસના કમાન્ડોને પ્રભાવિત વિસ્તારોમાં રવાના કરવામાં આવ્યા છે. અને ઉગ્રવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પીડિત લોકોને સુરક્ષા પુરી પાડવામાં આવી રહી છે. મણિપુરમાં એક વર્ષથી વધુ સમયથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. કૂકી અને મૈતેઇ સમાજના લોકો વચ્ચે આ હિંસા ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધીમાં 220થી વધુ લોકો માર્યા ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application