Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેવડિયામાં સત્તામંડળ દ્વારા લેવામાં આવતા આડેધડ નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી અધિકારીઓને જરૂરી સુચના આપી

  • June 23, 2022 

ગુજરાતનાં માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાનાં પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ કેવડિયામાં સત્તામંડળ દ્વારા લેવામાં આવતા આડેધડ નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી અધિકારીઓને જરૂરી સુચના આપી છે. જોકે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન SOU એકતાનગર ખાતે SOUADTGA સત્તામંડળના અધિકારીઓઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ તથા જિલ્લાના અગ્રણીઓ સાથે એડમિનિસ્ટ્રેટીવ કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજીને આ વિસ્તારના નાના-મોટા પ્રશ્નો સરળતાથી ઉકેલાય તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને આ દિશામાં આગળની જરૂરી કાર્યવાહી માટે સત્તામંડળના અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા.



જેમાં ભરૂચના સાંસદ, છોટાઉદેપુરનાં સાંસદ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ સહિતનાં આ વિસ્તારના અન્ય આગેવાનો, ઉપરાંત SOUADTGAના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રાંત અધિકારી વગેરેની ઉપસ્થિતિમાં ઉક્ત બેઠક યોજાઇ હતી. બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર વિસ્તારમાં જે કંઈ પ્રશ્નો છે તેનો સરળતાથી ઉકેલ આવે, સંકલન થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપી તેનો નિકાલ કરવાના ઉદ્દેશ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી તરીકે ઓથોરિટી સાથે આજે આ બીજી બેઠક કરી છે.



મુખ્યત્વે એકતાનગરના વિકાસ મુદ્દે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વની નજર તેના પર રહેશે, જેને લઈને ઉક્ત બેઠકમાં રજૂ થયેલા કેટલાક નાના - મોટા પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે દિશામાં ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અને SOUADTGA ઓથોરિટીના અધિકારીશ્રીઓ સાથે થયેલી ચર્ચા-વિચારણા અને પરામર્શ મુજબ સાથે મળીને કામ કરશે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application