Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

NCPનાં પૂર્વ કોર્પોરેટર પર ફાયરિંગ કરી હત્યા કરાતા ચકચાર મચી, પૂણે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

  • September 02, 2024 

મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અજિત પવારની નેશનાલિસ્ટ કોગ્રેસ પાર્ટી (NCP)ના પૂર્વ કોર્પોરેટર પર તાબડતોબ ફાયરિંગ કરી તેમની હત્યા કરવાની ચકચાર મચાવતી ઘટના બની હતી. જીવ ગુમાવનારા કોર્પોરેટરની ઓળખ વનરાજ આંદેકર તરીકે જાહેર કરાઈ હતી. પૂર્વ કોર્પોરેટર વનરાજ પર ધારદાર હથિયારો વડે પણ હુમલો કરાયો હતો. આ હુમલામાં તે મૃત્યુ પામી ગયા. પૂણે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.


પોલીસે જણાવ્યું કે, આ ઘટના પૂણેના નાના પેઠ વિસ્તારમાં બની હતી. હુમલાખોરોએ રવિવારે રાતે 8:30 વાગ્યે પિસ્તોલ વડે ગોળીઓ વરસાવી હતી. હુમલામાં આંદેકર ગંભીર રીતે ઘવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તે ત્યાં મૃત્યુ પામી ગયા હતા. આ ઘટના બાદથી નાના પેઠ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. એવી ચર્ચા છે કે જે સમયે વનરાજ પર હુમલો થયો ત્યારે વનરાજ ડોકે તાલીમ વિસ્તારમાં રોકાયા હતા. આ દરમિયાન હુમલાખોરોએ તકનો લાભ લઇ પિસ્તોલ વડે 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરતાં પહેલા વિસ્તારની વીજળી ગુલ થઈ ગઇ હતી. પોલીસના જણાવ્યાનુસાર અદાવત કે પરસ્પર શત્રુતાને કારણે આ હત્યા કરાઈ હોઈ શકે છે. વર્ચસ્વને લઈને પણ લડાઈ થઈ હોવાના દાવાને નકારી શકાય તેમ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News