સુરત જીલ્લાના માંગરોળના મહુવેજ ખાતે ૪૪ વર્ષીય ઇસમને કંપનીમાં નોકરી દરમિયાન લોહીની ઊલટીઓ થતાં મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, હાલ માંગરોળના તરસાડી ખાતે રામજી મંદિરની પાસે રહેતા મૂળ વાપીના ૪૪ વર્ષીય રજકુમાર શ્રીભગવાન યાદવ મહુવેજ ગામની સીમમાં આવેલી ફેરડીલ પાર્કમાં કુસુમગર કંપનીના પહેલા માળે ટીએફઓ ડિપાર્ટમેન્ટ પાસે નોકરી પર હાજર હતા. તે દરમિયાન તેમને અગમ્ય કારણોસર અચાનક લોહીની ઊલટીઓ થવા લાગી હતી. તેઓ બેભાન થઈ ગયા હતા. રજકુમારને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ રજકુમારને મૃત ઘોષિત કર્યા હતા. બનાવ અંગે કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application