Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : અગમ્ય કારણસર ઉંદર મારવાની દવા પી યુવકે આપઘાત કર્યો

  • September 08, 2022 

વલસાડનાં વાઘલધરા ખાતે આવેલી રાહગીર હોટલ સામે આવેલા રૂમમાં રહેતા એક શ્રમિકે રાત્રીનાં સમયે રૂમમાં કોઈની જાણ બહાર રૂમમાં મુકેલી ઉંદર મારવાની દવા પી મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મધ્યરાત્રીએ યુવકને ઉલટી થતાં યુવકનાં મિત્રો અને પડોશીઓએ તાત્કાલિક 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડનાં વાઘલધરા ગામ ખાતે આવેલી રાહગીર હોટલ સામે રહેતો હતો જોકે થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશથી વાઘલધરા ખાતે નોકરી કરવા આવેલા 24 વર્ષીય સંદીપકુમાર વિજયકુમાર તિવારીએ અગમ્ય કારણોસર કોઈની જાણ બહાર ઉંદર મારવાની દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મોડી રાત્રીએ સંદીપને ઉલટી થતાં અને તેમાંથી ઝેરની દુર્ગંધ આવતા સ્થાનિમ લોકો એલર્ટ થઈ ગયા હતા.




તેમજ સંદીપનાં મિત્રો અને પાડોશીઓએ તાત્કાલિક 108ની મદદથી સંદીપ તિવારીને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે સંદીપ તિવારીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક સંદીપનાં મિત્ર વિમલેશ ત્રિપાઠીએ ડુંગરી પોલીસને બનાવની જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application