Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી, કોરોના સંક્રમણના નવા કેસ નોંધાવના શરૂ થયા

  • December 03, 2023 

વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા વધારી દીધી છે. એક અહેવાલ પ્રમાણે નવા દર્દીઓની સંખ્યા વધવાની સાથે જ દેશમાં હવે અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધીને 396 થઈ ગઈ છે. જોકે ગતરોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા પ્રમાણે દેશમાં કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા 5 લાખ 33 હજાર 300 છે. જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 103 છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે સંક્રમણથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. કુલ 4 કરોડ 44 લાખ 68 હજાર 407 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. કોરોના બાદ ચીનમાં રહસ્યમયી ન્યુમોનિયા સંક્રમણ ફેલાઈ રહ્યો છે જેને લઈને કેન્દ્રએ પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. આ વચ્ચે કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application