Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાજીપુરા મીંઢોળા નદી પર નવા પુલના નિર્માણ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું

  • April 26, 2024 

વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે મીંઢોળા નદી ઉપર પુલ જર્જરીત અને જૂનો થઈ ગયો હોવાથી ભારે વાહનોની અવરજવર બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપીના હુકમ મુજબ સુરત ધુલિયા રોડ પર આવેલ મીંઢોળા નદી ઉપર વાહનો પસાર થઈ શકશે નહીં, ટ્રાફિક/વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્દ કરવામાં આવ્યું છે.

જેમાં વૈકલ્પિક માર્ગનો ઉપયોગ તરીકે બાજીપુરા સુમુલ ડેરી સોનગઢ સુરત વ્યારા તરફ જવા માટે ઉપયોગ કરવો તથા સુરત સુમુલ ડેરી બાજીપુરા વાલોડ તરફ જવા બાજીપુરા ગામ કુંભારવાડા તરફથી બજાર તરફ કોઝવે પર ટુ વ્હીલ અને ફોરવીલ વાહનોની અવર-જવર ન કરે તે માટે આડસ ઊભી કરવા અને પોલીસ બંદોબસ્ત પુરી પાડવામાં આવી છે. આ જાહેરનામું આગામી ૨૩.૦૬.૨૦૨૪ સુધી અમલમાં રહશે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application