બારડોલી નગર માં આચાર્ય તુલસી માર્ગ પર કેબીન ધારકો ને ફાળવેલ વૈકલ્પિક જગ્યા મામલે વિરોધ ઉઠ્યો છે.હાઇકોર્ટ ના આદેશ બાદ પાલિકા એ જગ્યા ફાળવી તો હવે જનતા નગર સોસાયટી ઘર મંડળી રહીશોએ પોતાની જગ્યા હોવાનો વાંધો ઉઠાવ્યો છે.
સુરત જિલ્લાના બારડોલી નગરમાં મોદી પેલેસથી સ્વામિનારાયણ મંદિર ને જોડતો આચાર્ય તુલસી માર્ગ પર ફરી એક વાર વિવાદ સર્જાયો છે,અલંકાર રોડ ઉપર ૧૨ જેટલા કેબીનો નું ઓપરેશન કર્યા બાદ વૈકલ્પિક જગ્યાના ભાગરૂપે પાલિકાએ કેબિન ધારકોને જમીન ફાળવી છે મામલો હાઇકોર્ટમાં જતા નામદાર હાઈકોર્ટે આ કેબીન ધારકોને વૈકલ્પિક જગ્યા આપવા માટે આદેશ કર્યો હતો અને હાઈકોર્ટના આદેશને પગલે પાલિકાએ પોતે એક વાર કરેલી જગ્યા માંથી કેબિન ધારકોને જગ્યા ફાળવી હતી.
નામદાર હાઈકોર્ટના આદેશ અને જગ્યા ફાળવી દેતાં કેબિન ધારકોએ બાંધકામ શરૂ કરવાની તૈયારી શરૂ કરી હતી અને જનતા નગર સોસાયટી મંડળી નજીક આ કેબિન ધારકો કેબીનો શરૂ કરવાના હોય હવે સોસાયટીના રહીશોએ વિરોધ શરૂ કર્યો છે અને કેબિન ધારકોને ફાળવેલ જગ્યા સોસાયટી ની હોવાનો દાવો કરી રહ્યા છે.આચાર્ય તુલસી માર્ગ પર કેબીન ધારકો પોતાને ફાળવેલ જગ્યાએ પહોંચ્યા હતા અને કેબિન ધારકો પર પહોંચતા જ જનતા નગર સોસાયટી સાથે વિવાદ સર્જાયો હતો, પાલિકા એ જાતે જગ્યા ફાળવી હોવા છતાં વિવાદ સમયે પાલીકા નો કોઈ જવાબદાર અધિકારી ત્યાં ફરકયો ન હતો જેથી કેબિન ધારકો અને સોસાયટીના રહીશો સાથે સીધું ઘર્ષણ સર્જાયું હતું. પોતાની જગ્યા નો દાવો કરીને જનતા નગર સોસાયટી ઘર મંડળી એ પોતાની જગ્યા મેળવવા માટે નામદાર હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ત્યારે કેબિન ધારકોને ફરી એકવાર વિવાદને કારણે પોતાની કેબીનો શરૂ કરવા માટે રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500