Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : પથ્થર અને ઘાસથી દાટી દેવામાં આવેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી, પોલીસ તપાસ શરૂ

  • November 27, 2022 

નર્મદાનાં ડેડીયાપાડા તાલુકાનાં નાની સિંગલોટી ગામે તરાવ નદીનાં પાણીમાં પથ્થર અને ઘાસથી દાટી દેવામાં આવેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ છે. જોકે નદીનાં કિનારે એક તાજુ જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. થોડા દિવસ પહેલા જ ડેડીયાપાડા સંભુનગર નજીક ચોકડી પાસેથી એક નવજાત બાળક મળી આવ્યું હતું. તેવામાં આવો જ કિસ્સો નાની સિંગલોટી ગામે પ્રકાશમાં આવ્યો છે.




જોકે ગામનાં ચોકીમાલી ફળિયામાં રહેતાં મુળજી વસાવા તરાવ નદીનાં કીનારા વિસ્તારમાં હતાં તે સમયે નદીનાં પાણીમાં ઘાસ અને પથ્થરોથી ઢાંકી દેવાયેલો નવજાત શિશુનો મૃતદેહ જોવા મળ્યો હતો. તેમણે બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પ્રાથમિક તબક્કે બાળક તાજુ જન્મેલું હોવાનું જાણવા મળ્યું હતું. જયારે કોઇ નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ છુપાવવા માટે શિશુને વેરાન જગ્યાએ ત્યજી દીધું હોવાનું લાગી રહ્યું છે. પોલીસે નવજાત શિશુને ત્યજી દેનારા કોણ છે તે શોધવા માટે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application