Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા:પોઇચા બ્રિજ મીની એસટી બસો માટે ચાલુ રખાય તેવી માંગ

  • November 16, 2020 

રાજપીપળા થી વડોદરા ને જોડતા શોર્ટ કટ પોઇચા પુલ ને હાલ ભારદારી વાહનો માટે બંધ કરાયો હોય આ પુલ ઉપર થી ફોર વ્હીલ વાહનો ની અવર જવર ચાલુ જ છે પરંતુ રાજપીપળા એસટી ડેપો ની મીની બસો પણ પોઇચા પુલ પરથી પસાર કરવા છૂટ અપાઈ તેથી વાયા ગરડેશ્વર ફરી જતી બસોમાં મુસાફરો નો સમય અને ભાડું વધુ ન બગડે તેવી માંગ ઉઠી છે.

 

 

ફોર વ્હિલ વાહનો જો જઈ શકતા હોય તો મીની એસટી બસો માં પણ સોસીયલ ડિસ્ટન્સ ના પાલન ના કારણે ગણતરી ના મુસાફરો બેસાડાતા હોવાથી ભારદારી વાહન જેવું વજન નથી થતું માટે મોટી 56 સીટર બસો ભલે બંધ રખાય પરંતુ મીની બસો માટે પરવાનગી મળે તો મુસાફરો ને ટિકિટ નું વધુ ભાડું ખર્ચ ન થાય અને લાંબો ફેરાવો પણ ન પડે તેવી માંગ ઉઠી છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application