દિલ્હીની કોર્ટે 2019માં સગીરા પર બળાત્કાર અને હત્યા કેસમાં આરોપી પુરુષને મૃત્યુ દંડની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને સમાજ માટે જોખમ ગણાવતા કહ્યું છે કે આ અપરાધ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં આવે છે. એડિશનલ સેશન્સ જજ બબિતા પુનિયાએ આરોપીના પિતા રામ સરનને પણ આજીવન કેદની સજા ફટકારી છે. સગીરાની હત્યામાં સાથ આપવા બદલ રામ સરનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
કોર્ટે જણાવ્યું હતું કે આરોપી રાજેન્દરને સમાજમાંથી દૂર કરવો ખૂબ જ જરૂરી છે. તેને પોક્સો એક્ટ અને આઇપીસીની જોગવાઇઓ હેઠળ મૃત્યુ દંડની સજા ફટકારવામાં આવી છે. રાજેન્દર અને તેના પિતાને આ કેસમાં ફેબ્રુઆરી, 2024માં દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. સગીરા 9 ફેબ્રુઆરી, 2019ના રોજ લાપતા થઇ હતી. બે દિવસ પછી તેનો મૃતદેહ એક પાર્કમાંથી મળી આવ્યો હતો. ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું કે, અપરાધના પ્રકાર અને નિર્દોષ બાળકોને આવા અધમ કૃત્યથી બચાવવા માટે દોષિતને કઠોર સજા આપવી જરૂરી છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, આ આરોપીએ અગાઉ પણ એક સગીર બાળાનું અપહરણ કર્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500