Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીની તીસ હજારી કોર્ટે સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમારની જામીન અરજી ફગાવી

  • May 28, 2024 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમારની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. તેણે તીસ હજારી કોર્ટમાં અરજી કરી હતી પરંતુ એડિશનલ સેશન્સ જજ સુશીલ અનુજ ત્યાગીએ તેને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. વિભવ કુમાર પર 13 મેના રોજ દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસ પર સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસે બાદમાં તેની ધરપકડ કરી હતી અને કોર્ટનાઆદેશને પગલે તેને 24 મેના રોજ ચાર દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તે 28 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News