Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કરી એક મોટી ઘોષણા : અનુસૂચિત જનજાતિય ક્લાયણ કાર્યક્રમો હેતુ એક અલગ સચિવાલયની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો

  • October 29, 2023 

કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અનુસૂચિત જનજાતિ માટે એક મોટી ઘોષણા કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરતા કહ્યું કે, કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિય ક્લાયણ કાર્યક્રમો હેતુ એક અલગ સચિવાલયની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત તેમણે વાલ્મિકી જયંતિના કાર્યક્રમમાં કરી હતી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમારી સાકારના પાછળના કાર્યકાળ દરમિયાન બેલાગવી સત્રમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને તેમની વસ્તી અનુસાર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો.



આ માટે SCSP અને TSP યોજનાઓ હેઠળ વધુ નાણાં ખર્ચી શકાય છે. આ યોજના હેઠળ પહેલા ફક્ત 6 હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવામાં આવતી હતી જેને અમારી સરકારે પાછળના કાર્યકાળમાં વધારીને  30 હજાર કરોડ રૂપિયા કરી દીધી છે. કર્ણાટકમાં રાજ્યની કુલ વસ્તીના 17.1 ટકા SC અને 7 ટકા ST વર્ગની છે.  મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે, 2011ની વસ્તી ગણતરી મુજબ 24.1 ટકા વસ્તી SC અને ST કેટેગરીની છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકએ SC/ST વર્ગોના કલ્યાણ હેતુ અલગ ગ્રાન્ટ આપવા માટે કાયદો લાવનાર પ્રથમ રાજ્ય છે. જે રાજ્ય માટે એક ગૌરવની વાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application