Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારીમાં મ્યુકરમાઈકોસિસની બીમારીના કારણે એક ઈસમનું મોત

  • May 22, 2021 

નવસારી જિલ્લામાં કોરોના બાદ હવે મ્યુકરમાઈકોસિસે કહેર મચાવ્યો છે. મ્યુકરમાઈકોસિસના કારણે નવસારી જિલ્લામાં પ્રથમ મોતનો બનાવ નોંધાયો છે. વ્યવસાયે વકીલ અને માણેકપોર ગામના રહેવાસી ભીખુભાઈ પટેલ નામના ઈસમનું મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વકીલ ભીખુભાઈ પટેલને કોરોનાની સારવાર દરમિયાન જ મ્યુકરમાઈકોસિસ રોગના લક્ષણો દેખાતા તાત્કાલિક પરિવારે તેમને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા જેમાં ચારથી પાંચ દિવસની સારવાર દરમિયાન ઈસમ વકીલનું અવસાન થતાં પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application