Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારામાં આગામી 30મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

  • April 17, 2021 

ગુજરાત સહિત દેશભરમાં કોરોના સંક્રમનના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ડાંગ જીલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારામાં સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી 30મી એપ્રિલ સુધી સાપુતારા સ્વયંભૂ બંધ રહેશે. 

 

 

 

 

 

સાપુતારામાં દર વર્ષે ગુજરાત અને મહારાષ્ટ્રથી લાખો પ્રવાસીઓ સાપુતારાનું સૌંદર્ય માણવા માટે પહોંચતા હોય છે, પરંતુ કોરોનાની આ બીજી લહેરમાં લોકો કોરોના વાયરસથી સંક્રમિત ન થાય તે માટે સાપુતારામાં પ્રવાસીઓને પ્રવેશ ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, સાપુતારામાં આવેલ હોટલ્સ, માર્કેટ તથા લારી-ગલ્લા વાળાઓએ પણ સ્વયંભૂ બંધ પાળીને સ્વૈચ્છિક લોકડાઉનને સમર્થન આપ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application