Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દાહોદથી આહવા તરફ જતી બસનો અંબિકા નદીનાં પુલ ઉપર અકસ્માત, 30થી વધુ મુસાફરોનો સદનસીબે બચાવ

  • May 22, 2022 

દાહોદથી આહવા તરફ જતી બસનો અંબિકા નદીના પુલ ઉપર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. આ દુર્ઘટના થઈ ત્યારે બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મહત્વનું એ છે કે, એસ.ટી. દ્વારા સલામત સવારીના સ્લોગન આપવામાં આવે છે અને વારંવાર થતા એસ.ટી.ના અકસ્માતથી એસ.ટી.નું સ્લોગન માત્ર નામનું હોય તેવુ લાગી રહ્યુ છે.



જયારે બસમાંથી ટાયર નીકળવાની ઘટનાને પગલે ચાલકે પોતાની આગવી સુઝબુઝથી બસને કંટ્રોલમાં રાખીને રસ્તા પર ઉભી રાખી હતી. જોકે આ મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઘટના બાદ બસમાંથી સલામત ઉતરેલા મુસાફરોએ હેમખેમ બસમાંથી બહાર નીકળતા હાશકારો અનુભવ્યો હતો ઘટનામાં સદનસીબે તમામ મુસાફરોનો બચાવ થયો હતો.



પરંતુ ઘટના એક ચિંતાજનક ધારણ કરી શકે તેમ હતી ઘટનામાં ચિંતાજનક બાબત એ રહી હતી કે બસ નદીના પુલ ઉપરથી પસાર થઈ રહી ત્યારે ઘટના બની હતી બેકાબુ બસ પુલ ઉપરથી નદીમાં ખાબકી હોત તો મોટી હોનારતનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સરકારી બસોની ગુણવત્તામાં સુધારા સાથે મુસાફરી સલામત અને આરામદાયક બનાવવાના દાવા કરે છે પણ હકીકત કંઈક અલગ જ સામે આવી હતી આ ઘટનામાં બસના ચાલકે વાહન ઉપર કાબૂ મેળવી લીધો હતો અને બસને સલામત ઉભી રાખવામાં સફળતા મેળવી હતી.



આ ઘટનાએ સરકારી તંત્રના દાવા પોકળ સાબિત કર્યા છે સદનસીબે અકસ્માતમાં મુસાફરોનો બચાવ થયો છે પણ આ અકસ્માત કેમ સર્જાયો તેની તપાસ થવી જરૂરી છે સાથે ઘટના સ્થળે ઉપસ્થિત રહેલ મુસાફરોએ પ્રશ્ર્નો ઉઠાવતાં જણાવ્યું હતું કે, બસનું મેન્ટેનન્સ અને દેખરેખની નિયમિત કામગીરી થાય છે કે કેમ આવી ઘટનાઓ મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે બસમાંથી ટાયર નીકળી જવા જેવી ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ અને બેદરકારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application