Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈનાં ડબાવાળાઓ દિવાળી નિમિત્તે તા.24 થી 27 ઓક્ટોબર દરમિયાન રજા પાળશે

  • October 21, 2022 

મુંબઈમાં મોટા ભાગનાં નોકરિયાતોને બપોરનું ભોજન પહોંચાડનારા મુંબઈનાં ડબાવાળાએ મુંબઈની આગવી ઓળખ છે. મુંબઈનાં આ ડબાવાળાઓ દિવાળી નિમિત્તે તા.24 થી 27 ઓક્ટોબર દરમિયાન રજા પાળશે. આથી ચાર દિવસ મુંબઈમાં ડબા પહોંચાડવાની સર્વિસ બંધ રહેશે. દિવાળી દરમિયાન ઘણી ઓફિસોમાં રજા હોય છે. વળી આ સમયે સરકારી કાર્યાલયો પણ બંધ હોય છે.




આથી ડબાવાળાઓનું કામ પણ ખુબ થોડું હોય છે. આથી રજાના સમયગાળાને ધ્યાનમાં રાખી અને તેમાંય બે સરકારી રજા આવતી હોવાથી ડબાવાલા યુનિયને તા.24થી 27 ઓક્ટોબર દરમિયાન ટિફિન પહોંચાડવાની સર્વિસ બંધ રાખવાનું નક્કી કર્યું છે. જોકે શુક્રવાર એટલે કે તા.28મી ઓક્ટોબરથી ફરી ડબાવાળાની સર્વિસ રાબેતા મુજબ શરૂ થશે. ઉપરાંત આ રજાના સમયગાળાનો પગાર ગ્રાહકોએ કાપવો નહિ, એવી વિનંતી પણ ડબાવાળાઓએ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application