Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડાનાં બાલચોંઢી ગામે બાઈક અડફેટે આવતાં સાયકલ ચાલકનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું

  • January 04, 2025 

વલસાડનાં કપરાડાનાં બાલચોંઢી ગામેથી પસાર થઇ રહેલી અજાણી બાઇકનાં ચાલકે રોડ પરથી પસાર થઈ રહેલા ગામના રહીશની સાયકલને અડફેટે લઈ અકસ્માત સજર્યો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગામનાં સાઇકલ ચાલક આધેડનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કપરાડાનાં બાલચોંઢી ગામના રાધા ફળિયામાં રહેતા અર્જુનભાઈ જગુભાઈ ચૌધરી (ઉ.વ.૫૫) તેમના પરિજનો સાથે રહેતા હતા. અર્જુનભાઈ સાંજે સાયકલ લઈને બાલચોંઢી ગામે આવેલા આમવન પાસે કોઈક કામ માટે ગયા હતા. ત્યારબાદ અર્જુનભાઈ ઘરે પરત આવવા માટે સાયકલ લઈને નીકળ્યા હતા. તેઓ ગામના નિશાળ ફળીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલી અજાણી બાઇકનાં ચાલકે અર્જુનભાઈની સાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર પટકાયેલા અર્જુનભાઈને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે બાબતે મૃતકના મોટા ભાઈ રતનભાઈ ચૌધરીએ અકસ્માત સર્જી ફરાર થઈ જનાર અજાણી બાઈકનાં ચાલક સામે નાનાપોંઢા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application