Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીની વચ્ચે પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે દેશ નહીં છોડવા માટે કોર્ટેનો આદેશ

  • May 12, 2022 

શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીની વચ્ચે પૂર્વ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમના સાથીદારોને દેશ નહીં છોડવા માટે કોર્ટે આદેશ આપ્યો છે. શ્રીલંકામાં સરકારનો વિરોધ કરી રહેલા દેખાવકારો પર રાજપક્ષેના સમર્થકોએ હુમલો કર્યા બાદ ઠેર ઠેર હિંસા ભડકી ઉઠી હતી અને દેશમાં તણાવનો માહોલ છે. રાજપક્ષેએ વડાપ્રધાન તરીકે રાજીનામુ આપ્યા બાદ પણ લોકોનો ગુસ્સો શાંત થયો નથી. લોકોના ટોળાએ પીએમ હાઉસના ટેમ્પલ ટ્રીમાં ઘુસીને આગચંપી પણ કરી હતી.



ત્યારબાદ વિશેષ હેલિકોપ્ટર મારફતે રાજપક્ષેને અને તેમના પરિવારને શ્રીલંકાના એક નેવલ બેઝ પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ ત્યાં જ છે. જોકે આ નેવલ બેઝને પણ લોકોએ ઘેરી રાખ્યુ છે. મહિન્દા રાજપક્ષે ભારત ભાગી ગયા હોવાની અફવા પણ ઉટી હતી અને તે પછી શ્રીલંકા સ્થિત ભારતીય દૂતાવાસે આ અફવાને રદિયાઓ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં આર્થિક કટોકટી બાદ શરૂ થયેલા વિરોધના પગલે ગત સોમવારે રાજપક્ષે વડાપ્રધાન તરીકે રાજીનામુ આપી ચુકયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application