Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

31 ઓકટોબરથી કોંગ્રેસ કાઢશે ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’, જાણી લો વિગતો

  • October 22, 2022 

કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રીતે ભાજપની યાત્રામાં મોટી સંખ્યા લોકો જોવા મળ્યા તે રીતે કોંગ્રેસની યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો આવે તેવા પ્રયાસ થઇ રહ્યા છે. એકંદરે ભાજપની યાત્રા પછી લોકોમાં સર્જાયેલા જુવાળને પલટાવવાની રણનીતિના ભાગ સ્વરૂપે પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે.




ભાજપ દ્વારા ગૌરવ યાત્રા કાઢવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીના દિવસે 31 ઓકટોબરથી પરિવર્તન સંકલ્પ યાત્રા કાઢવામાં આવશે. રાજ્યભરમાં 5 જગ્યા પરથી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થશે. આ યાત્રાનો આરંભમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત રાષ્ટ્રીય નેતાઓ હાજર રહેશે.




યાત્રા દરમિયાન કોંગ્રેસ લોકોની સમસ્યા અને કોંગ્રેસ આગામી દિવસોમાં શું કરશે તેની વિગત જાહેર કરશે. યાત્રા ગુજરાતભરમાં 5 સ્થળોથી આરંભાશે. બે યાત્રા સૌરાષ્ટ્રમાંથી, એક ઉત્તર ગુજરાતમાંથી,એક યાત્રા દક્ષિણ ગુજરાતમાંથી શરૂ કરવામાં આવશે, તેમજ એક યાત્રા મધ્ય ગુજરાતમાંથી શરૂ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતની આવરી લેવાય તે રીતે યાત્રા કાઢવામાં આવશે. ભાજપની જેમ કોંગ્રેસે પણ પોતાના રાષ્ટ્રીય નેતાઓને ઉતાર્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application