Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોંગ્રેસનો વોટ શેર 13 ટકાથી નીચે જશે, AAP અને BJP વચ્ચે સીધો મુકાબલો, કોંગ્રેસ પર વોટ ન બગાડો - કેજરીવાલ

  • November 15, 2022 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આજે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં અમદાવાદમાં કહ્યું કે, ગુજરાતમાં AAP અને BJP વચ્ચે સીધો મુકાબલો, કોંગ્રેસ પર વોટ ન બગાડો. મારો અંદાજ છે કે કોંગ્રેસનો વોટ શેર 13 ટકાથી નીચે જશે અને તેને માત્ર 4-5 બેઠકો મળશે. તેઓ દાવો કરી રહ્યા છે. જો કે, આપ પાર્ટી આ વખતે પ્રથમ વખત મેદાને છે ત્યારે ગુજરાતમાં ત્રીજો પક્ષ પણ ફાવ્યો નથી.આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP અને સત્તાધારી ભાજપ વચ્ચે સીધી લડાઈ છે. તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે તેઓ કોંગ્રેસ પર પોતાનો મત વેડફશો નહીં, તેના બદલે AAPને મત આપો. દિલ્હીના સીએમ કેજરીવાલે સોમવારે દાવો કર્યો હતો કે 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ચાર-પાંચ બેઠકો જ મળશે.




ગુજરાતમાં બે પ્રકારના મતદારો છે - એક જે ભાજપને નફરત કરે છે અને તેને મત આપવા નથી માંગતા

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. પરંતુ આ વખતે, કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી ચૂંટણીમાં વારંવાર પુનરાવર્તન કરી રહી છે કે કોંગ્રેસ મેદાન ગુમાવી રહી છે અને પોતાને ભાજપના મુખ્ય હરીફ તરીકે રજૂ કરી રહી છે. આ માટે પાર્ટી ગુજરાતમાં મોટો પ્રચાર કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું,ગુજરાતમાં બે પ્રકારના મતદારો છે - એક જે ભાજપને નફરત કરે છે અને તેને મત આપવા નથી માંગતા. કારણ કે મતદારો 27 વર્ષથી ભાજપના કુશાસનથી નિરાશ છે. આમ તેમને કોંગ્રેસ સાથે ભાજપ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.



કોંગ્રેસનો વોટ શેર 13 ટકાથી નીચે જશે – કેજરીવાલ

આપ એ 178 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. દિલ્હીના સીએમ કેજરીવાલે અમદાવાદમાં કહ્યું, મારો અંદાજ છે કે કોંગ્રેસનો વોટ શેર 13 ટકાથી નીચે જશે અને તેને 4-5 સીટો મળશે. અહીં AAP અને BJP વચ્ચે સીધી લડાઈ છે. કોંગ્રેસના મતદારોને અપીલ કરતાં તેમણે કહ્યું કે જે લોકો હજુ પણ કોંગ્રેસને મત આપવાનું વિચારી રહ્યા છે, તેઓ આમ કરીને પોતાનો મત બગાડો નહીં. કેજરીવાલે વધુમાં કહ્યું, લોકોએ આમ આદમી પાર્ટીને મત આપવો જોઈએ, જે તમારા બાળકો અને તમારા પરિવારને આશા આપી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ સંપૂર્ણ રીતે તૂટી રહી છે. કોંગ્રેસને કોઈ વોટ આપવાનું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News