વ્યારા બાઈપાસ રોડ ઉપર મારુતિ વાન અને ઇકો ગાડી વચ્ચે ટક્કર થતા 5 વ્યક્તિઓને ઓછી વત્તી ઈજા પહોચી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાયી છે.
મળતી માહિતી અનુસાર સુરત શહેરના ભેસ્તાન સ્ટેશન વિસ્તારમાં રહેતા શાહરૂખ અકબર શેખ(ઉ.વ.27) તથા તેમના સંબંધીઓ સાથે મારુતિ વાન નંબર જીજે/19/એમ/0492 લઈ સોનગઢથી સુરત જતા હતા તે દરમિયાન નેશનલ હાઈવે નંબર-53 વીરપુર ગામની સીમમાં વ્યારા બાઈપાસ રોડ ઉપર, એક ઈકો ગાડી નંબર જીજે/05/આરડી/6941 બારડોલીથી વ્યારા તરફ આવતો હોય, તેણે અચાનક વ્યારા તરફ પોતાની ગાડી વાળી લેતા મારુતિ વાન સાથે ટક્કર થતા વાન પલ્ટી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વાનમાં સવાર દોઢ માસની બાળકી સહીત કુલ 5 વ્યક્તિઓને ઓછી વત્તી ઈજા પહોચી હતી. જેમને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મારુતિ વાનનો ચાલક શાહરૂખ શેખની ફરિયાદના આધારે ઈકો ગાડીનો ચાલક કિશોરભાઈ મંજીભાઈ ગલાણી રહે.સુરત શહેરના વિરુદ્દ ઈપીકો કલમ 279, 337, 338 તથા એમ.વી.એક્ટ કલમ 177, 184 મુજબ વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application