Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડનાં કુડસદ ગામે બે ઘરોમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ : આગમાં વાડામાં બાંધેલ બે પશુનાં મોત

  • March 06, 2023 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં કુડસદ ગામનાં નવાપરા ફળીયામાં પતરાવાળા મકાનમાં રહેતા ગણેશભાઈ સોમાભાઈ વસાવા અને અલ્પેશભાઈ મંગાભાઈ વસવાના ઘરમાં રાત્રીના સમયે એકાએક આગ લાગી હતી. જ્યારે રાત્રીનાં 2થી 3 વાગ્યાના અરસામાં પરિવાર નિંદ્રા માણી રહ્યો હતો. તે દરમિયાન કોઈ કારણોસર ઘરમાં આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.






તેમજ આ અગ્ને કારણે પરિવારમાં નાસભાગ મચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ એક ઘરમાંથી બીજા ઘરમાં પ્રસરી હતી. આગ લાગતા જ પરિવારના સભ્યો જાગીને બહાર દોડી આવ્યા હતા. ઘરમાં એક વૃદ્ધ પણ હતા. તેઓને પણ હેમખેમ બચાવી લીધા હતા. બીજી તરફ આગ લાગતા જ ફળીયામાં અફરાતફરી મચી જવા પામી હતી. સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવી જાતે જ આગ પર કાબુ મેળવી લીધો હતો.





જોકે આ આગની આ ઘટનામાં ઘરના વાળામાં રહેલ બકરાઓ આગની ચપેટમાં આવી ગયા હતા. જેમાં ત્યાં રહેલા બે બકરાબ મોત થયા હતા. જયારે 7થી 8 જેટલા બકરાઓ ઈજાગ્રસ્ત થયા હતા. એક સાથે બે ઘરમાં આગ લાગતા ઘરમાં રહેલી ટીવી, ઘર વખરી સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઉપરાંત ઘરની બહાર રાખવામાં આવેલ બાઈક પણ સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. આખે આખું ઘર બળી જતા પરિવાર મુસીબતમાં મુકાયો હતો. જયારે આગના કારણે બે બકરાઓના મોત પણ નીપજ્યા હતા. જોકે ઘરમાં આગ ક્યાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું ન હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application