અમદાવાદના કાલુપુર વિસ્તારમાં વેપારીના ઘરમાં તિજોરી ખોલીને રોકડા રૂ.૧૨ લાખ અને દાગીના સહિત મળી કુલ રૂ.૧૩.૧૦ લાખની મતાની ચોરી થઇ હતી જેમાં દુકાન ખરીદવા માટે લાવેલા ઉછીના રૂપિયા ૧૨ લાખની ચોરી થઈ હતી. પરિવારજનો બહાર જાય ત્યારે તિજોરીને લોક મારતા ન હતા અને બિલાડીના કારણે છત ઉપર કેબીનનો દરવાજો પણ ખુલ્લ્લો રાખતા હતા.
બનાવ અંગે કાલુપુર પોલીસ ચોરીના ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કાલુપુરમાં ચંપલ બજાર પાસે રહેતા અને રિલીફરોડ ઉપર ઝક્કરીયા મસ્જીદ પાસે દુકાન ધરાવતા વૃદ્ધે કાલુપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે, તેમના મકાનમાં તા.૧૫થી ૧૮ સુધીમાં તિજોરીમાંથી રોકડા રૂ.૧૨ લાખ અને સોના દાગીના દાગીના સહિત કુલ રૂ.૧૩.૧૦ લાખની ચોરી થઇ હતી. જેમાં ખાસ કરીને તેમની દિકરીએ દુકાનની ખરીદી કરી હતી જેના દસ્તાવેજ માટે સગા સંબંધી પાસે ઉછીના રોકડા રૃા. ૧૨ લાખ લાવીને તિજોરીમાં મૂક્યા હતા. મહત્વાની વાત એ છે પરિવારના સભ્યો બહાર જતા ત્યારે તિજોરીને લોક મારીને જતા ન હતા અને બિલાડી આવતી જતી હોવાથી છત ઉપર ઓરડીને પણ તાળુ મારતા ન હતા. જેને લઇને અજાણી વ્યકિત છત વાટે અંદર આવીને ચોરી કરી જતી રહી હોવાની શંકા સેવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application