Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શું ખરેખર કેજરીવાલને ગુજરાતમાં 58 ટકા મુસ્લિમોના વોટ ફળી શકે છે? વિગતવાર જાણો

  • November 17, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારો સૌથી વધુ ચર્ચામાં છે.બીજી તરફ કોંગ્રેસની આ વોટબેંક ગણાય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે કોંગ્રેસ અને ભાજપની સૌથી મોટી ચિંતા રાજ્યમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી છે. AAP ગુજરાતમાં સૌથી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે. રાજ્યમાં અલગ-અલગ સર્વેમાં પણ તેને અલગ-અલગ સમર્થન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. OBC,મુસ્લિમ,પાટીદાર સહિત અનેક સમુદાયોના મતદારો AAPને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.



ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતદારો સૌથી વધુ ચર્ચામાં રહે છે. કોંગ્રેસની આ વોટબેંક ગણાય છે. આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ મતદારો હવે કોંગ્રેસ છોડીને અન્ય પક્ષોના ઉમેદવારોને મત શકે છે. આ વખતે તેમની પાસે AAP અને AIMIM જેવા વિકલ્પો છે તો શું મુસ્લિમ મતદારો આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની રમત બગાડી શકશે?



ટાઈમ્સ નાઉ-ઈટીજી સર્વેમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે રાજ્યમાં મુસ્લિમ મતદારો કોને મત આપશે.
ચાલો પ્રથમ સર્વેના પરિણામો જોઈએ.

1-ગ્રોથ મોડલ-29 ટકા

2-આપ-કોંગ્રેસનું વિભાજન - 13 ટકા

3- આમ આદમી પાર્ટી - 34 ટકા

4- જે ભાજપને હરાવી શકે છે - 24 ટકા



સર્વે અનુસાર,રાજ્યના 34 ટકા મુસ્લિમ મતદારો સીધી રીતે આમ આદમી પાર્ટીને વોટ આપવાની વાત કરી રહ્યા છે,જ્યારે 24 ટકા મુસ્લિમો બીજેપીને હરાવનારને વોટ આપવાની વાત કરી રહ્યા છે.એટલે કે જો આ 58 ટકા વોટ AAPને જાય છે તો આમ આદમી પાર્ટી રાજ્યમાં ભાજપ-કોંગ્રેસની ઊંઘ હરામ કરી શકે છે. હવે પરિણામ શું આવશે, એ તો 8મી ડિસેમ્બરે ખબર પડશે પરંતુ હાલમાં ટાઈમ્સ નાઉ-ઈટીજીના સર્વેમાં મુસ્લિમ મતોમાં AAP બાજી મારી શકે છે. બીજી તરફ આપ પાર્ટી 182 બેઠકો પર ગુજરાતમાં પ્રથમ વખત લડી રહી છે ત્યારે સૌ કોઈની નજર આપ પર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News