Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

CBIએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી, અધિકારીઓએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી

  • June 06, 2023 

CBIએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, 10 સભ્યોની CBI ટીમે ગતરોજ બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને અકસ્માતની તપાસ શરૂ કરી હતી. રેલવે બોર્ડે રવિવારે અકસ્માતની CBI તપાસની ભલામણ કરી હતી. ઈસ્ટ કોસ્ટ રેલવેનાં ડી.આર.એમ. રિંકેશ રેએ કહ્યું કે, તેમને મળેલી માહિતી અનુસાર બાલાસોરમાં ટ્રેન અકસ્માતની CBI તપાસ શરૂ કરવામાં આવી છે.


જોકે હજુ સુધી વિગતવાર માહિતી ઉપલબ્ધ થઈ નથી. આ પહેલા રેલવે સેફ્ટી કમિશનર શૈલેષ કુમાર પાઠકે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બહનગા બજાર રેલવે સ્ટેશનના કંટ્રોલ રૂમ, સિગ્નલ રૂમ અને સિગ્નલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. બાલાસોર રેલવે પોલીસએ ટ્રેન અકસ્માતને લઈને ભારતીય દંડ સંહિતા અને રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ ઘટના અંગે રેલવેએ વધુમાં કહ્યું કે, ગતરોજ વધુ ત્રણ ઘાયલોના મોત થયા બાદ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં સત્તાવાર મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો છે.


ડી.આર.એમ. રિંકેશ રેએ જણાવ્યું હતું કે, 2 જૂને ત્રણ ટ્રેનની ટક્કરથી સર્જાયેલી દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા હતા અને 1100 જેટલા લોકો ઘાયલ થયા હતા. ડી.આર.એમ. રિંકેશ રેએ જણાવ્યું હતું કે, હાલમાં 200 જેટલા લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે વધુમાં કહ્યું કે, 288 મૃતદેહોમાંથી 177ની ઓળખ થઈ ગઈ છે જ્યારે 111 મૃતદેહોની ઓળખ થવાની બાકી છે અને આ મૃતદેહોને છ અલગ-અલગ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. રેલવેએ ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં લોકોને તૈનાત કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News