બાંગ્લાદેશમાં રવિવારે એક પૂરપાટ ઝડપે દોડતી બસ ખીણમાં ખાબકી ગઈ હતી, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૬ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે, હજુ ૨૪થી વધુ લોકો ઘવાયાની પણ માહિતી છે. પોલીસે જણાવ્યું કે ઈમાદ પરિભાન દ્વારા સંચાલિત ઢાકા જતી બસ સવારે આશરે સાડા સાત વાગ્યે મદારીપુરમાં એક એક્સપ્રેસ વે પર અનિયંત્રિત થઈ ગઈ હતી જેના લીધે તે ખીણમાં ખાબકી હતી. બસમાં કુલ ૪૦થી વધુ મુસાફરો સવાર હોવાનો દાવો કરાયો છે.
પોલીસે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કેમ કે અનેક ઘાયલોની હાલત ગંભીર જણાવાઈ છે. મદારીપુર પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ મોહમ્મદ મસૂદ આલમે કહ્યું કે ઘાયલોને જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડાયા હતા. એવું મનાય છે કે ડ્રાઈવરે બેદરકારીપૂર્વક ગાડી ચલાવતા અને બસમાં કોઈ ખામી સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી.ફરીદપુર પોલીસ સર્વિસના ઉપસહાયક નિર્દેશક શિપ્લૂ અહેમદે દુર્ઘટના વિશે જણાવતા કહ્યું કે એવું મનાય છે કે પૂરપાટ ઝડપે દોડતી બસનું ટાયર ફાટી ગયું હતું અને એના લીધે જ ડ્રાઈવરે નિયંત્રણ ગુમવતા બસ ખીણમાં ખાબકી હતી. નીચે જમીન પર બસ પટકાવાને લીધે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ફાયરબ્રિગેડની ત્રણ ટીમ વાહનો સાથે ઘટનાસ્થળે બચાવ કામગીરી કરવા પહોંચી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application