Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરાખંડનાં કાશીપુરમાં શ્રમિકો ભરેલ બસ પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો : એકનું મોત, 28 લોકો ઈજાગ્રસ્ત

  • July 22, 2023 

ઉત્તરાખંડનાં કાશીપુરમાં આજે શ્રમિકો ભરેલી બસ પલ્ટી જવાની મોટી દુર્ઘટના બની હોવાના સંચાર સામે આવ્યા છે. આ ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે 28થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બસમાં મોટા ભાગની શ્રમિક મહિલાઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ તહસીલદાર યુસુફ અલી અને પોલીસે મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને એલ.ડી.ભટ્ટી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા ઈજાગ્રસ્તોને જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં રેફર કરાયા છે. જોકે બસ અનિયંત્રિત થઈ પલટી હોવાનું કારણ ચાલકને ઝોકું આવ્યું હોવાનું કહેવાય છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. રામનગર રોડ પર શિવાંગી ઉર્ફે એસ.પી.એન.જી. કાશી વિશ્વનાથ ટેક્સટાઈલ કંપની આવેલી છે.



આ ફેક્ટરીમાં હજારો શ્રમિકો કામ કરે છે. શ્રમિકોને તેમના ઘરથી લેવા અને મુકવા માટે કંપની દ્વારા બસોની વ્યવસ્થા કરાઈ છે. દરમિયાન શિવાંગી કંપનીની બસ નંબર UK/04/CA/0137નો ચાલક આજે સવારે શ્રમિકોને રામનગરથી બેસાડી કાશીપુર તરફ ફેક્ટ્રી જઈ રહ્યો હતો. આ દરમિયાન રામનગર રોડ પર ધનૌરી પટ્ટી ગામ પાસે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ગઈ હતી, જેમાં 45થી વધુ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા અને એક વ્યક્તિ મૃત્યુ થયું હતું . આ ઘટનામાં 28થી વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું રહ્યું છે. અકસ્માતની માહિતી મળતા જ તહસીલદાર યુસુફ અલીએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફેક્ટરી દ્વારા ચલાવાતી સ્કુલ સમર સ્ટડી સ્કૂલની છે. આવા બસમાં મહિલા શ્રમિકો પણ સવાર હતી. શ્રમિકોથી ભરેલી બસમાં મોટાભાગની મહિલા શ્રમિકો સવાર હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application