Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

UNમાં ‘પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરાઈ

  • December 13, 2022 

BAPS સ્વામિનારાયણ સંસ્થાનાં વડા સ્વામીજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી તેમજ દેશમાં ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું સંયુક્ત રીતે અમેરિકાનાં ન્યુયોર્ક સ્થિત યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે આયોજન કરાયું હતું. આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત લોકો સુધી સ્વામીજીનાં જીવન પર આધારિત સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. ‘ધ વર્લ્ડ ઈઝ વન ફેમિલી’ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોઝ, અન્ય દેશોના રાજદુતો, પ્રતિનિધિઓ અને BAPSનાં સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.




આ ઉજવણી પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સહસ્ત્રાબ્દી શિખર સંમેલનમાં પ્રમુખ સ્વામી મહારાજે 29 ઓગસ્ટ-2000નાં રોજ કરેલા ભાષણનો એક વીડિયો પણ બતાવાયો હતો, જેમાં તેમણે વિશ્વભરનાં આધ્યાત્મિક વડાઓને અપીલ કરી હતી કે, તેઓ સમૃદ્ધ વિવિધતાને જાળવવા માટે એક-બીજા સાથે સાર્થક સંવાદ કરે. UNમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાતનાં ગાંધીનગર સ્થિત BAPSનાં સંત આનંદ સ્વરૂપજીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે પોતાના સંબોધનમાં પ્રમુખ સ્વામીજી મહારાજની શતાબ્દી જન્મશતાબ્દીના આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સન્માન વ્યક્ત કર્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application