Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામનાં નંદીગામ ટેકરા પાસે કન્ટેનરે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર એક યુવકનું મોત, એક ઈજાગ્રસ્ત

  • December 04, 2023 

ઉમરગામના નંદીગામ ટેકરા પાસે કન્ટેનરે બાઈકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, રીન્કુ સીતારામ રજક અને સુનિલકુમાર ગોપાલભાઈ યાદવ નાઓ બંને રોજ છૂટક વેલ્ડીંગનું કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે રીન્કુભાઈ અને સુનિલભાઈ શનિવારે સવારે કામ અર્થે સેલવાસના સુરંગી ખાતે સુનિલ કુમારની બાઈક નંબર GJ/15/AM/7548 ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન સવારે આશરે નવ વાગ્યાના અરસામાં નંદીકામ ટેકરા પાસે નેશનલ હાઇવે નંબર-48 સુરતથી મુંબઈ તરફ જતા રોડના ત્રીજા ટ્રેક ઉપર કોઈ અજાણ્યા કન્ટેનરના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.



જોકે આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર સુનિલકુમાર સાઈડમાં ફેંકાઈ જતા તેને સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે બાઈક ઉપર પાછળ બેસેલ રીન્કુભાઈને રોડ પર ફેંકાઈ જતા તેમના ઉપર કન્ટેનર ફરી ગયું હતું આથી તેને પેટ અને ખભા પર ગંભીર ઈજા થઈ હતી તેને કારણે રીન્કુભાઈનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે આ અકસ્માત સર્જી કન્ટેનરનું ચાલક પોતાનું કન્ટેનર લઈ નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે પહોંચી મૃતકના લાશનો કબ્જો લઈ ભીલાડ સરકારી દવાખાનામાં PM અર્થે મોકલાઈ હતી. ઘટના અંગેની ફરિયાદ સુનિલભાઈ યાદવએ ભીલાડ પોલીસ મથકમાં કરી હતી જ્યારે અકસ્માત સર્જી ફરાર થઈ જનાર કન્ટેનર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application