Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝર-પ્રકાશા રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું મોત

  • December 28, 2021 

નિઝર-પ્રકાશા રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે ૨૮ વર્ષીય બાઈક ચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.



મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના મુબારકપુર ગામના સાંઈબાબા મંદિર પાસે રહેતો અને મજુરી કામ કરતા કલ્પેશભાઈ મંગલસિંગભાઈ ઠાકરે તા.૨૬મી ડીસેમ્બર ના રોજ સીડી ડોન બાઈક નંબર જીજે/૧૯/જે/૮૧૩૧ ની લઈને પીપળોદ ગામની સીમ માંથી પસાર થતા નિઝર-પ્રકાશા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક કલ્પેશભાઈના માથાના જમણા કપાળના ઉપરના ભાગે તેમજ પેટ ના ભાગે ગંભીર ઇજા પહોચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે દિલીપભાઇ મંગલસિંગભાઇ ઠાકરેની ફરિયાદના આધારે નિઝર પોલીસએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હત્ય્હ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application