Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : નવસારી-ગાંધીધામ સહિત આ 5 શહેરને મળશે મ્યુનિ. કોર્પોરેશન, મનપાની સંખ્યા વધીને 13 થઈ

  • June 29, 2023 

નવસારી,ગાંધીધામ,સુરેન્દ્રનગર,વાપી અને મોરબીના લોકો માટે એક સારા સમાચાર છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. માહિતી મુજબ,રાજ્ય સરકારે નવસારી,ગાંધીધામ,સુરેન્દ્રનગર, વાપી અને મોરબીને મ્યુનિસિપલ કોર્પોરેશન (નગર નિગમ) જાહેર કરી છે. આમ,રાજ્યમાં વર્તમાનમાં 8 મોટા શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન છે. ત્યારે હવે આ નિર્ણય બાદ રાજ્યમાં મ્યુનિ. કોર્પોરેશનની સંખ્યા વધીને 13 થઈ જશે.


જણાવી દઈએ કે, હાલ નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા ધરાવે છે. જો કે, હવે તેમણે અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાંચેય શહેરની નગરપાલિકાઓને હવે મ્યુનિ. કોર્પોરેશન બનાવવામાં આવશે. આ પહેલા સાલ 2010માં ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન કાર્યરત થઈ હતી. ત્યારે હવે રાજ્યમાં વધુ પાંચ જિલ્લાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન મળશે.


હાલ 8 શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન કાર્યરત

નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતા ગુજરાતમાં મનપાની સંખ્યા 8થી વધીને 13 થઈ જશે. હાલમાં અમદાવાદ,ગાંધીનગર,સુરત,વડોદરા,ભાવનગર,રાજકોટ,જામનગર અને જૂનાગઢ મ્યુનિ. કોર્પોરેશન કાર્યરત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application