Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ ફ્લેટમાંથી અજાણ્યા તસ્કરોએ સોના-ચાંદીના ઘરેણાંની કરી ચોરી

  • October 18, 2021 

અંકલેશ્વરના ભરૂચી નાકા જવાહર બાગ બાજુમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં ભરી તસ્કરો ત્રાટક્યા હતા અને એક જ રાત્રીમાં 3 જેટલા ફ્લેટને નિશાન બનાવ્યા હતા. તસ્કરો બીજા માળે આવેલા ફ્લેટ નંબર-35 માં પ્રહેતા હિરેનભાઈ અશોકભાઈ સોની પરિવાર સાથે ગતરોજ રાજપારડી ખાતે કામ અર્થે બહાર ગામ નીકળ્યા હતા તે દરમિયાન તેમના બંધ ફ્લેટ ને તસ્કરો નિશાન બનાવી દરવાજાને કોઈ સાધન વડે ખોલી અંદર પ્રવેશ્યા હતા અને અંદર રહેલ તિજોરી માંથી સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

 

 

 

 

 

 

બનાવ અંગે સવારે પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા ત્યારબાદ ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને એનએફએસએલ, ડોગ સ્કોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે હિરેન સોની દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 2.60 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી તેમજ અન્ય 2 ફ્લેટમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ નોંધી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application