Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ મકાનમાંથી દાગીના અને લેપટોપ મળી 6 લાખની ચોરી થતા પોલીસ ફરિયાદ

  • October 11, 2021 

ભરૂચના ઝઘડિયા આઈટીઆઈ નજીક આવેલી રેવા રેસિડેન્સીમાં ખેડૂત મહેન્દ્રભાઈ પટેલ અને તેમની પત્ની તેમજ પુત્ર સાથે રહે છે જયારે તેમનો 31 વર્ષીય પુત્ર અંકલેશ્વરની કંપનીમાં એચઆરમાં ફરજ બજાવતો હતો. જોકે કમળાની બીમારીના કારણે પુત્રની સારવાર માટે માતા-પિતા 5 ઓક્ટોબરે રાજપીપળાના ઓરી ગામે તેમના સાળુ ભાઈને ત્યાં મકાનને બંધ કરી ગયા હતા. જોકે ગત તા.9મી ઓક્ટોબરના રોજ પાડોશીનો ઘરમાં ચોરી થઈ હોવાનો ફોન આવતા તેઓ બીજા દિવસે સવારે ઝઘડિયા દોડી આવ્યા હતા જયારે આ અજાણ્યા તસ્કરોએ પટેલ પરિવારના બંધ મકાનનું તાળું તોડી બેડરૂમમાં રહેલી તિજોરીના લોક તોડી લાખોની તસ્કરી કરી ગયા હતા. ચોરી અંગે ઝઘડિયા પોલીસ મથકે ચન્દ્રીકાબેન પટેલે 11 તોલા સોનાના દાગીના, 31 તોલાના સાંકળા અને એક લેપટોપ મળી કુલ રૂપિયા 6 લાખની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application