Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડીયાના રાજપારડી ગામે ભરાતો સારસા માતાનો મેળો આ વર્ષે પણ નહિ ભરાય

  • September 09, 2021 

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે દર વર્ષે સામા પાંચમના દિવસે સારસા માતાનો મેળો ભરાય છે. રાજપારડી નજીક સારસા માતાનો ડુંગર આવેલો છે. આ ડુંગર પર ઝઘડીયા નેત્રંગ તાલુકાના વિવિધ ગામોએથી ભાવિકો દર્શન કરવા આવે છે. હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે મેળો ભરાય તો કોરોનાનું સંક્રમણ વધી શકે એવી દહેશત જણાય છે. તેથી આ મેળો ચાલુ વર્ષે પણ નહિ ભરાય. રાજપારડી ગ્રામ પંચાયતના સરપંચ પી.સી.પટેલની સહીથી બહાર પડાયેલી એક યાદીમાં મેળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું જણાવાયુ છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લઇને ગ્રામ પંચાયત દ્વારા મેળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી સ્થાનિક જનતા ઉપરાંત વેપારીઓેને તેની નોંધ લેવા જણાવાયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application