Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહનની અડફેટે આવતા તાલુકા પંચાયતના કર્મચારીનું મોત

  • September 14, 2021 

અંકલેશ્વરના વાલિયા ગામના ગણેશ ગાર્ડ નજીક અજાણ્યા વાહન ચાલકે તાલુકા પંચાયતના કર્મચારીને ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલિયા ગામના ક્રિષ્નાનગર ખાતે રહેતા દલસુખ વેસ્તાભાઈ વસાવા જે વાલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે પટાવાળા તરીકે ફરજ બજાવે છે. જેઓ ગતરોજ સાંજના સમયે તાલુકા પંચાયત કચેરીથી પોતાના ઘરે ચાલતા જઈ રહ્યા હતા. તે દરમિયાન ગણેશ ગાર્ડ નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારી દલસુખ વસાવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ત્યારબાદ વધુ સારવાર માટે ભરુચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેમને  મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application