Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Aditya-L1નાં લોન્ચ પહેલા ISROના વૈજ્ઞાનિકોએ તિરુમાલા મંદિરમાં પ્રાર્થના કરી

  • September 01, 2023 

ISROનું ચંદ્રયાન સફળ થયા બાદ હવે સૂર્ય પર જવા માટેનું નવું મિશન Aditya-L1 સંપૂર્ણ રીતે તૈયાર છે. Aditya-L1 મિશન આવતીકાલે સવારે 11:50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. સૂર્યનો અભ્યાસ કરવાના હેતુથી Aditya-L1 મિશનના નિર્ણાયક પ્રક્ષેપણ પહેલા ISROના વૈજ્ઞાનિકો આજે તિરુમાલા મંદિરમાં પ્રાર્થના કરવા માટે ગયા હતા. ISROના વૈજ્ઞાનિકોએ સવારે તિરુમાલા હિલ્સ પર સ્થિત શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી આવતીકાલે લોન્ચ થશે. Aditya-L1 અવકાશયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર આવેલા L1 (લેગ્રેન્જિયન પોઈન્ટ) પર સૌર કોરોનાના દૂરસ્થ અવલોકનો અને સૌર પવનના સીટુ અવલોક કરશે. ISROના વૈજ્ઞાનિકો માટે કોઈ મોટા મિશન પહેલા પ્રખ્યાત પહાડી મંદિરમાં પ્રાર્થના કરવા જવીએ સામાન્ય પ્રથા છે. જુલાઈમાં તેમણે ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ પહેલા પણ મંદિરમાં પ્રાર્થના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application