Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાજપોર ગામમાં દીપડાએ વાછરડાને ફાડી ખાધું

  • February 13, 2021 

બારડોલી તાલુકાનાં તાજપોર ગામનાં આહીર ફળિયામાં રહેતા પરભુભાઈ ગોવિંદભાઈ આહીરને ત્યાં ગુરુવારે રાત્રીના સમય ગાળા દરમિયાન દીપડાએ સાતથી આઠ માસના ગાયના વાછરડાનો શિકાર કર્યો હતો.

 

 

ત્યારબાદ ફરી પાછું શુક્રવારે સવારે પરભુભાઈ દૂધ કાઢવા જતા હતા ત્યારે  વાછરડાને મૃત હાલતમાં જોતા જ પરભુભાઈ એ ગામના સરપંચને જાણ કરી હતી. આથી સરપંચએ, ફ્રેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ અને સામાજિક વનિકરણના બીટ ફોરેસ્ટ જાદવ આહીરને જાણ કરી હતી.

 

 

આથી જતીન રાઠોડ અને વનવિભાગની ટીમે તાજપોર ગામે જઈ તપાસ શરૂ કરતા ત્યાં દીપડાના પગમાર્ક જોવા મળી આવ્યા હતા અને મૃત વાછરડાના ગળા પરના ભાગે દીપડાના દાંતના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ જાદવ આહિરે પાંજરું મૂકી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application