Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પરણીતાએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • June 05, 2021 

બારડોલીના તલાવડી વિસ્તારમાં સ્મશાનભૂમિ રોડ પર 42 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના તલાવડી સ્મશાન ભૂમિ રોડ પાસે રહેતા કિશોરભાઈ ઈશ્વરભાઈ વસાવા તેમની પત્ની પરમિલાબેન (ઉ.વર્ષ 42) સાથે રહે છે અને મજૂરી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. પરમિલા ઘરે એકલી હતી તે સમયે ઘરના છતની સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

 

 

 

 

પરમિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજી સુધી જાણી શકાયું નથી. આ બનાવ અંગે પોલીસે પતિ કિશોર ઈશ્વર વસાવાની ફરિયાદના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application