Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરમપુરના નાની વહિયાળ ગામે હત્યા બાદ પુરાવાનો નાશ કરનાર આરોપીના જામીન ના મંજુર કરાયા

  • June 16, 2024 

ધરમપુરના નાની વહિયાળ ગામના બરફટા ફળિયામાં રહેતા મુકેશભાઈ બુધીયાભાઈ પટેલ (ઉ.વ.38)ની હત્યા કરાયેલી લાશ ગત તા.28/03/2023ના રોજ ધરમપુરના તામછડી-મોટી કોરવળ ગામ તરફ જતા રસ્તા પરથી પ્લાસ્ટિકની કોથળીમાંથી મળી આવી હતી. હત્યાનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસની તત્કાલીન એસ.ઓ.જી.,એલ. સી.બી. ધરમપુર સી.પી. આઈ. અને ધરમપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં શંકાને આધારે પોલીસે મૃતકની પત્ની દિવ્યાનીને પોલીસમથકે લાવીને કડકાઈથી પૂછપરછ કરી હતી.


પત્નીએ કરેલી કબૂલાતમાં, તેણી છેલ્લાં પાંચ વર્ષથી બારોલીયા ગામના બારી ફળિયામાં રહેતા સંજય બિનધાસ્ત પંડિત નામના યુવાનના પ્રેમમાં પડી હતી અને છેલ્લા 3 વર્ષથી પ્રેમી સાથે તેના ઘરે જ રહેતી આવી છે. પ્રેમી સાથે રહેતી આરોપી પત્નીએ છૂટાછેડા આપવા માટે પતિને વારંવાર જણાવ્યું હતું. પરંતુ મુકેશ તેને છૂટાછેડા આપતો ન હતો. જે વાતની અદાવત રાખીને પત્નીએ ગત તા.26/05/23ના રોજ પતિ મુકેશને ફોસલાવીને પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યાં પૂર્વનિયોજીત કાવતરાના ભાગરૂપે દિવ્યાનીએ પતિ પર કુહાડાના ઉપરાઉપરી ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાની કબૂલાત કરી હતી.


પોલીસે હત્યા કરવા અને પુરાવાનો નાશ કરવાના ગુનામાં સંડોવાયેલા દિવ્યાની તેના પ્રેમી સંજય પંડિત અને સંજયના મિત્ર જયકુમાર રેવલુભાઇ ગાંવિત (રહે.કરંજવેરી, તા. ધરમપુર)ની ધરપકડ કરી હતી. જેલવાસો ભોગવી રહેલા જયકુમાર ગાંવિતએ જામીન મુક્ત થવા માટે ધરમપુરની એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સતત 8મી વાર જામીન અરજી રજૂ કરી હતી. જે બાબતે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકાર પક્ષે એ.પી.પી. રાજેશભાઈ ગાંધીએ દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટના વિદ્વાન જજ એમ.એ. મિર્ઝાએ જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application