Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાજપને મળશે ટક્કર ,AAPના યુવા વિધાનસભ્ય ચૈતર વસાવા ભરૂચથી લોકસભા ચૂંટણી લડશે

  • August 09, 2023 

આગામી લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે.છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપ જીત મેળવી રહ્યું છે.આગામી ચૂંટણીમાં ભાજપને પછાડવા વિપક્ષી દળો એક સાથે આવ્યા છે.ત્યારે ગુજરાતમાં ભાજપના તમામ બેઠકો પર જીતની હેટ્રિકને રોકવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે તેવી જાહેરાત આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કરી હતી.એવામાં ડેડિયાપાડાના આપ વિધાન સભ્ય આગામી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે એવા અહેવાલો મળી રહ્યા છે.


આમ આદમી પાર્ટીના વિધાન સભ્ય ચૈતર વસાવા એક યુવા આદિવાસી નેતા છે. ડેડિયાપાડા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પણ ચૈતર વસાવા સતત લોકોની વચ્ચે રહીને આદિવાસી સમાજના પ્રશ્નોને સરકાર સમક્ષ ઉઠાવતા રહે છે માટે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે.ભરૂચ બેઠક પર ભાજપના આદિવાસી નેતા મનસુખ વસાવા ચૂંટણી જીતતા આવ્યા છે.કોંગ્રેસે અનેક પ્રયાસો કર્યા પરંતુ આ બેઠક પર ભાજપને પરાસ્ત કરી શકી નથી. એવામાં યુવા નેતા ચૈતર વસાવા હવે ભાજપને ટક્કર આપવા મેદાને ઉતરશે. આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ તરફથી આ નિર્ણયને મંજુરી આપી હોવાની જાણકારી મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News