Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ સાંસદના રણકાછડિયાને લખ્યો પત્ર

  • May 13, 2024 

લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ પણ ભાજપમાં આંતરિક વિવાદ હોય તેવો એક કિસ્સો સામે આવ્યો હતો, અમરેલીના સાંસદે અમરેલી બેઠકના ઉમેદવારને લઈ બે દિવસ પહેલા ભડાશ કાઢી હતી. ત્યારે હવે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુરતરીયાનો લેટર સામે આવ્યો છે. જેમાં તેમણે નારણ કાછડિયા ને કેટલી વાર થેંક્યું કહ્યું તે યાદ કરાવ્યું છે. અમરેલી ભાજપમાં ટિકિટની ફાળવણી થઈ ત્યારથી જ વિવાદ સામે આવ્યો હતો.


ત્યારબાદ વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ જાહેરમાં સાંસદના રણકાછડિયાએ ઉમેદવારની પસંદગીને લઈ નિવેદનને લઈ રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે અમરેલી બેઠકના ભાજપના ઉમેદવારનો પત્ર સામે આવ્યો છે. જેમઆ તેમણે સાંસદનારણકાછડિયાને કેટલી વાર થેંક્યું કહ્યું તે યાદ કરાવ્યું છે.આ સાથે તેમણે કહ્યું કે, ઉમેદવાર નક્કી કરવાનું કામ વડાપ્રધાન મોદી, અમિત શાહ અને જેપીનડા અને પાર્લમેન્ટરી બોર્ડનું છે. તમે તેનું અપમાન કરી રહ્યા છો. તમે સારી રીતે જાણો છો કે તમારી ટિકિટ કેમ કાપવામાં આવી.


તમે એ સત્ય હકીકત લોકો સુધી પહોંચડો. અને  ભરત સુતરીયાએના રણકાછડિયાને આખરી વાર થેંક્યું કહ્યું. અમરેલી લોકસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાએ બે દિવસ પહેલા ભાજપના ઉમેદવારને લઈ પ્રહારો કર્યા હતા. તેમાં કહ્યું હતું કે,  પાર્ટીએ જે સિલેકશન કર્યું છે તે અમરેલીની 23 લાખની વસતી અને સાડા સત્તર લાખ મતદારોનો દ્રોહ કર્યો છે. કહ્યું જે થેંક્યુ ન બોલી શકે એવી વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application