Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછા ઉમિયાધામ ખાતે મહાઆરતીમાં ભક્તો ભીડ ઉમટી પડી, ભક્તોએ શીશ નમાવી માતાનાં આશીર્વાદ લીધા

  • October 23, 2023 

નવરાત્રીમાં આઠમું નોરતું એટલે દુર્ગાષ્ટમીનો દિવસ કહેવાય છે અને ભક્તોમાં માતાજીના આરાધનાનો ઉત્સાહ અને ઉમંગ અનેરો જોવા મળે છે જેમાં સુરતમાં થયેલ માતાજીના આરતીના દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યો ખુબ જ મનમોહક હતા. જયારે દુર્ગાષ્ટમીના દિવસએ ઉમિયાધામમાં 25 હજાર દીવાઓથી માતાજીની આરતી કરવામાં આવી હતી. જયારે દુર્ગાષ્ટમી અથવા તો મહાષ્ટમીનો તહેવાર પણ કહેવામાં આવે છે અને આ દિવસનો ઘણો મહિમા પણ છે તેમજ શાસ્ત્રોમાં આ અષ્ટમીને દુર્ગા માતાજીનો આરાધનાનો દિવસ પણ કહેવામાં આવી છે.



તેમજ ખાસ કરીને આ દિવસે ભારતભરની તમામ શક્તિપીઠોમાં, માતાજીનાં ધામોમાં અને મંદિરોમાં વિશેષ હવન, પાઠ અને પૂજાનું આયોજન થાય છે. માતાનાં ભક્તો અષ્ટમીને વિશેષ દિવસ તરીકે ઉજવે છે. જયારે ગુજરાત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ સમયે મહાઆરતીમાં જોડાયા હતા જેમાં સુરત શહેરના વરાછા ઉમિયાધામ ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીને 25 હજાર જેટલી દીવડીઓ વડે આધશક્તિ અંબે માં’ની મહાઆરતી યોજાઈ હતી અને ભક્તોએ આ સમયે હાથમાં દીવો પકડીને માતાજીની મહાઆરતી ઉતારી હતી અને આ હજારો દિવડાઓની રોશનીથી સમગ્ર વરાછા ઉમિયાધામ ઝગમગી ઉઠ્યું હતું તેમજ માતાના ભક્તોએ મહાઆરતીમાં જોડાઈ શીશ નમાવી માતાજીના આશિર્વાદ પણ લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application