Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાષ્ટ્રપતિ ભવન ખાતે નહીં યોજાય 'એટ હોમ' રિસેપ્શન, જાણો સામે શું આવ્યું કારણ...

  • January 27, 2022 

ગણતંત્ર દિવસના અવસર પર યોજાનારો 'એટ હોમ' રિસેપ્શન કાર્યક્રમ આ વખતે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ કદાચ પહેલી વખત બની રહ્યું છે કે, રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતો પરંપરાગત 'એટ હોમ' સમારંભ નહીં કરવામાં આવે. ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ એમ બંને અવસર પર રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ રિસેપ્શન આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે આ વખતે આ રિસેપ્શન નહીં યોજવામાં આવે. હકીકતે રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ અજય સિંહે જણાવ્યું છે કે, આ વખતે કોરોના મહામારીના કારણે ગણતંત્ર દિવસ પર રિસેપ્શન નહીં યોજવામાં આવે. તેમના કહેવા પ્રમાણે આ પહેલી વખત બની રહ્યું છે તેમ ન કહી શકાય પરંતુ કોઈ મહામારીના કારણે આવું ચોક્કસથી પહેલી વખત બન્યું છે. અન્ય એક અધિકારીના કહેવા પ્રમાણે તેમણે રાષ્ટ્રપતિ ભવનના રેકોર્ડ્સની તપાસ નથી કરી પરંતુ તેમને આવું કોઈ જ ઉદાહરણ યાદ નથી.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ બાદ આ રિસેપ્શનમાં દેશના વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીપરિષદ અને તમામ ટોચના અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. પરંતુ કોરોના મહામારીના કારણે ગત વર્ષે પણ માત્ર 100 અતિથિ હતા જ્યારે પરંપરાગત રીતે મહેમાનોની યાદી 2,000 સુધી પહોંચી જતી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના પૂર્વ પ્રેસ સચિવે આ મામલે જણાવ્યું કે, આ રિસેપ્શન ગણતંત્ર અને સ્વતંત્રતા દિવસ સમારંભનું એક અભિન્ન અંગ રહ્યું છે. તે વિભિન્ન ક્ષેત્રના લોકો માટે પીએમ અને રાષ્ટ્રપતિને મળવા અને વાતચીત કરવાના અવસર સમાન છે. જોકે આ વર્ષે મહામારીના કારણે તે રદ્દ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનની માફક તમામ રાજ્યોમાં રાજ્યપાલો દ્વારા એટ હોમ્સની મેજબાની કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application