Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જીલ્લા ખાતે શેરી નાટક અને ભવાઈ દ્રારા સ્વચ્છતા માટે જાગૃતિ અભિયાન હાથ ધરાયું

  • November 07, 2023 

સ્વચ્છતા પ્રત્યે લોકોની માનસિક પરિવર્તન લાવવા તેમજ સ્વચ્છતાના સંદેશને ફેલાવવા માટેના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં 3થી 9 નવેમ્બર દરમિયાન 45 ગામમાં શેરી નાટક અને 45 ગામમાં ભવાઈ દ્વારા ગ્રામજનો,યુવાનો અને વિદ્યાર્થીઓને સ્વચ્છતાના મહત્વ વિશે માહિતગાર કરાશે. ભરૂચના હલદરવા ખાતે જાગૃતિ વિભાગ કલા ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા વિશે સમજણ આપવા ભવાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને સ્વચ્છતા ના પાઠ ભણાવવામાં આવ્યા હતા. સ્વચ્છતા રાખવા બાબતે શપત લેવડાવવામાં આવી હતી. જિલ્લામાં ચાલતા સ્વચ્છતા હી સેવા અંતર્ગત નવરત અભિગમ દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને સ્વચ્છતા નું મહત્વ અને કઈ રીતે સ્વચ્છ ગામ રાખવું તે વિષે માહિતગાર કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application