Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ ખાતે ભક્તોએ ઘરે બનાવેલ કુંડમાં જ મૂર્તિનું વિસર્જન કર્યું

  • September 20, 2021 

આજરોજ અનંત ચૌદશના દિવસે બાપ્પાને આસ્થાભર વિદાય આપવામાં આવી હતી જયારે ભરૂચ ખાતે મોટા ભાગના ભક્તોએ આજે સવારથી જ બાપ્પાનું પૂજન અર્ચન કરી ઘરે બનાવેલ કુંડમાં જ તેઓની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. તો કેટલાક શ્રદ્ધાળુઓની આસ્થા બની રહે તે માટે નર્મદાનાં જળમાં શ્રીજીનું વિસર્જન થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો અનેક સ્થળોએ કૃત્રિમ તળાવો પણ બનાવવામાં આવ્યા હતા.

 

 

 

 

 

ભગવાન ગણેશજીની 10 દિવસ સુધી આરાધના કર્યા બાદ આજરોજ અંકલેશ્વર ખાતે વાજતે ગાજતે તેઓને વિદાય આપવામાં આવી હતી. સરકારી ગાઈડ લાઈન મુજબ શ્રદ્ધાળુઓએ શ્રીજીને વિદાય આપી હતી. કેટલાક પંડાલો ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો કેટલાકે સાદાઈથી વિસર્જન કર્યું હતું. અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે કૃત્રિમ તળાવો ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં પણ ભક્તોએ ભગવાન ગણેશને વિદાય આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application