Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અતિભારે વરસાદથી મૃત્‍યુ પામેલા પાંચ મૃતકોના વારસદારોને સહાય ચૂકવાઇ

  • September 04, 2020 

વલસાડ જિલ્લામાં ચોમાસુ-૧૯ દરમિયાન ભારેથી અતિભારે વરસાદના કારણે મૃત્‍યુ પામેલા પાંચ મૃતકોના વારસદારોને વડાપ્રધાનશ્રી રાહત ફંડમાંથી પ્રત્‍યેક મૃતક દીઠ રૂા.બે લાખની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં વાપી તાલુકાના મોટી તંબાડી, હાજી ફળિયાના સ્‍વ.પ્રેમીલાબેન રાજેશભાઇ વારલીના વારસદાર તેમના પતિ રાજેશભાઇ કિશનભાઇ વારલી, વલસાડ તાલુકાના મરલા ગામના સ્‍વ.સંજયભાઇ રમેશભાઇ પટેલના વારસદાર તેમના પત્‍ની કંચનબેન સંજયભાઇ પટેલ, ધરમપુર તાલુકાના શીશુમાળ-કેળપાડાના સ્‍વ. કાકડભાઇ ભીમજીભાઇ રાઉતના વારસદાર તેમના પત્‍ની બાયજુબેન કાકડભાઇ રાઉત, ધરમપુર તાલુકાના ખાંડા, મોરીફળિયાના સ્‍વ.લાડકીબેન રામજીભાઇ કનસ્‍યાના વારસદાર તેમના પુત્રી ઠગલીબેન શુક્કરભાઇ દિવાન અને ધરમપુર તાલુકાના પીંડવળ, તા.ધરમપુરના સ્‍વ.મંગળીબેન દેવરામભાઇ માલધરીયાના પતિ દેવરામભાઇ કાશીરામ માલધરીયાનો સમાવેશ થાય છે, એમ નિવાસી અધિક કલેક્‍ટર, વલસાડ દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application