Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાટૂશ્યામ મંદિરનાં દ્વાર ખુલતા જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ભાગદોડ મચી : 3 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત, અનેક લોકો ઘાયલ

  • August 09, 2022 

રાજસ્થાનનાં સીકર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખાટૂ શ્યામ મંદિરના દ્વાર ખુલતા જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. જોકે આ દરમિયાન ભાગદોડ થતા 3 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત નીપજ્યા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થઇ ગયા છે સ્થિતિ કાબુ બહાર જતાં પોલીસની મદદ લેવામાં આવી હતી. સવારે પાંચ વાગ્યે મંદિરના પ્રવેશ દ્વાર ખોલવામાં આવ્યા હતા, જે સાથે જ અગાઉથી જ જમા થયેલી ભીડ મંદિરમાં એક સાથે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.




જોકે ભીડ એટલી વધુ હતી કે, ટુંક સમયમાં જ નાસભાગ મચી ગઇ હતી. જે શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા હતા તેઓને ધક્કામુક્કીમાં અન્ય શ્રદ્ધાળુઓએ કચડી નાખ્યા હતા. જેને પગલે 3 મહિલાઓનાં મોત નીપજ્યા હતા. પોલીસ અને મંદિરનાં ગાર્ડ દ્વારા જેમતેમ સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ થયો હતો.




જ્યારે જે લોકો આ ભાગદોડમાં ઘવાયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા છે. જે લોકો માર્યા ગયા છે તેમની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોરોનાકાળ બાદ હવે ખાટૂશ્યામમાં મેળો યોજાય છે. જેને પગલે શ્રદ્ધાળુઓની સંખ્યા પણ લાખોમાં હોય છે. જોકે મંદિરનો ક્ષેત્રફળ ઓછો હોવાને કારણે દર્શન માટે પુરતી સુવિધા નથી. જેથી અવાર નવાર અહીંયા શ્રદ્ધાળુઓમાં નાસભાગની ઘટના બનતી હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News